660 Total Views
નડિયાદ-સમ્રગ વિશ્વ, દેશ રાજ્ય અને જિલ્લો હાલ કોરોનાની વૈશ્વિક મહામારીનો બીજી લહેરનો સામનો કરી રહેલ છે. ત્યારે કોરોનાથી બચવા માટે કોવિડ વેક્સીન એક માત્ર ઉપાય બાકી રહ્યો હોઈ આ વેક્સીન લેવા બાબતે જન જાગૃતિ અર્થે નડિયાદ ખાતે કેર હોસ્પિટલ, સ્પોર્ટસ કોમ્પ્લેકસની પાછળ, મરીડા ભાગોળ પાસે મુસ્લિમ બિરાદરો માટે કોવિડ વેકસીનેશનનો કેમ્પ તા.૦૪/૦૪/૨૦૨૧ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પ તા.૪,૫, અને ૬ એપ્રિલ સુધી એમ કુલ ત્રણ દિવસ ચાલવાનો છે.
શ્રી અબ્દુલ રજ્જાકભાઇ હાજીનાએ જણાવ્યું હતું કે, મે પોતે અગાઉ રસી લીધી છે. મને કોઇ પણ જાતની આડઅસર થઇ નથી. હું નડિયાદ નગર પાલિકાના દરેક નાગરિકને અપીલ કરું છું કે, દરેક નાગરિકોએ આ રસી લેવી જોઇએ. નડિયાદ ખાતે કેર હોસ્પિટલમાં પણ આજથી ત્રણ દિવસનો રસીકરણનો કેમ્પ સરકારશ્રી દ્વારા યોજાવામાં આવી રહયો છે. ત્યારે આ કેમ્પનો પણ મહત્તમ લાભ લેવા આ વિસ્તારના બિરાદરોને મારી અપીલ છે. સરકાર દ્વારા આ રસી મફતમાં આપવામાં આવી રહિ છે. કોરોના રસી લીધા પછી બીજાને ચેપથી બચાવે છે. પોતે પણ સુરક્ષિત રહે છે. કોરોનાથી બચવા માસ્ક ફરજીયાત પહેરવો જોઇએ. કોરોના અંગે સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ.