729 Total Views
લદ્દાખ મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરી રહેલા રાહુલ ગાંધી પર ગૃહ મંત્રી અમિત શાહે જોરદાર જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે તેઓ ચર્ચાથી ડરતા નથી. રાહુલ ગાંધી ગમે ત્યારે સંસદમાં ભારત-ચીન પર વાત કરી શકે છે. પરંતુ જ્યારે જવાન ચીનનો સામનો કરી રહ્યા છે તે સમયે આવા નિવેદન આપવા જોઇએ નહીં જેનાથી પાકિસ્તાન અને ચીનને ખુશી થાય.
અમિત શાહે રાહુલ ગાંધીના સરેન્ડર મોદીવાળા નિવેદન પર પ્રશ્ન પૂછયો હતો. તેના પર શાહે કહ્યું કે સંસદ થવાની છે. ચર્ચા કરવી છે આવો કરીશું. કોઇ ચર્ચાથી ડરતું નથી. 1962થી અત્યાર સુધીની સ્થિતિ પર બબ્બે હાથ થઇ જાય. પરંતુ જ્યારે દેશના જવાન સંઘર્ષ કરી રહ્યા, સરકાર સ્ટેન્ડ લઇને નક્કર પગલાં ભરી રહી છે તે સમયે આવા નિવેદન આપવા જોઇએ જેનાથી પાકિસ્તાન કે ચીનને ખુશી થાય.
#WATCH “Parliament honi hai, charcha karni hai to aaiye, karenge. 1962 se aaj tak do-do haath ho jayein…,” HM Amit Shah on Rahul Gandhi’s “Surender Modi” tweet .
Full interview with ANI Editor Smita Prakash to be released at 1 pm pic.twitter.com/ngGYyqkwQq
— ANI (@ANI) June 28, 2020
અમિત શાહે આગળ કહ્યું કે સરકાર ભારત વિરોધી પ્રોપગેન્ડાથી લડવામાં સક્ષમ છે પરંતુ એ જોઇને દુખ થાય છે કે આટલી મોટી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ‘ઓછી’ રાજનીતિ કરે છે.
જો કે વાત એમ છે કે LAC વિવાદ પર રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી હતી. તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વાસ્તવમાં ‘સરેન્ડર મોદી’ છે. આની પહેલાં અને બાદમાં પણ રાહુલ ગાંધી લદ્દાખ મામલા પર સરકારને સતત પ્રશ્નો કરી રહ્યા છે. આજે મન કી બાત કાર્યક્રમ પહેલાં પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાષ્ટ્ર સુરક્ષા પર વાત કયારે થશે. જો કે મન કી બાતમાં જ પીએમ મોદીએ ચીનને કડક સંદેશ આપ્યો. મોદીએ કહ્યું કે ભારત દોસ્તી અને દુશ્મની બંને નિભાવવાનું જાણે છે. મોદી બોલ્યા લદ્દાખમાં ભારતની ભૂમિ પર, આંખ ઉઠાવીને જોનારઓને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવાનું જાણે છે તો આંખમાં આંખ નાંખી જોવાનું અને યોગ્ય જવાબ પણ આપવાનું જાણે છે.