719 Total Views
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષાબળોના એક દળ પર આતંકીઓએ હુમલો કર્યો. હુમલામાં કાશ્મીર પોલીસના એક અને સીઆરપીએફના બે જવાન શહીદ થયા. આતંકીઓએ બારામુલાના ક્રેરી વિસ્તારમાં નાપાક હરકતને અંજામ આપ્યો. આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસની જોઇન્ટ નાકા પાર્ટી પર કેટલાંય રાઉન્ડ ફાયરિંગ કર્યું.
આઇજી વિજય કુમારે કહ્યું કે હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશ્યલ પોલીસ ઓફિસર શહીદ થયા હતા. તો સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા હતા. સારવાર દરમ્યાન સીઆરપીએફના જવાનોએ છેલ્લાં શ્વાસ લીધા.
Jammu & Kashmir: One personnel of J&K Police & two CRPF soldiers have lost their lives, after terrorists fired some rounds of fire at a joint naka party of CRPF and Police in Baramullah. Area cordoned off & search underway to nab terrorists. (Visuals deferred by unspecified time) pic.twitter.com/hrXIqhAuZK
— ANI (@ANI) August 17, 2020
બારામુલાના ક્રેરી વિસ્તારમાં હુમલો
વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આતંકી હુમલાને અંજામ આપ્યા બાદ ગામમાં જ કયાંક છુપાઇ ગયા છે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ક્રેરી વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમ્યાન આતંકીઓએ સુરક્ષાબળો પર ગોળી ચલાવાનું શરૂ કરી દીધું.
14 ઑગસ્ટના રોજ હુમલામાં બે જવાન શહીદ
આની પહેલાં 14મી ઑગસ્ટના રોજ શ્રીનગરના બહારના વિસ્તાર નૌગામમાં પોલીસ ટીમ પર થયેલા આતંકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા હતા. હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન કર્યું. આતંકીઓએ નૌગામમાં 15 ઑગસ્ટ માટે સુરક્ષામાં તૈનાત પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. શ્રીનગરના નૌગામ બાઇપાસ પર શુક્રવાર સવારે આતંકી હુમલો થયો હતો.